આ બ્લૉગ શોધો

બુધવાર, 29 જુલાઈ, 2015

ગુરૂપુર્ણેમા વિશે શાળામા બોલવા યોગ્ય



                                                ગૂરૂ પુર્ણિમા                        
સંકલન :  કૌશિક કાનાણી
અષાઢ સુદ પુર્ણીમા એટલે ગુરુ પુર્ણીમા. આ દીવસે શીષ્ય ગુરુનું પુજન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરવા ગુરુદક્ષીણા આપે છે. શાસ્ત્રો અને પંડીતો આ વીષે શું કહે છે તેની મને માહીતી નથી, પરંતુ સત્યનો સાક્ષાત્કાર કરનાર એક પ્રજ્ઞાપુરુષના ગુરુ અને પુર્ણીમા વીષેના ઉદ્ગારોની મારા મન પર પડેલી અસરનું જે કંઈક સ્મરણ છે તે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશ. એમાંથી જો કોઈ સત્યનો આભાસ થાય તો એ આ પ્રજ્ઞાપુરુષનો પ્રતાપ ગણવો અને માત્ર શબ્દોની રમતનો ભાસ થાય તો મારી સમજણની ઉણપ સમજવી.
પંડીતો દ્વારા રચાયેલા શાસ્ત્રોમાં માત્ર શબ્દોનો સંગ્રહ હોય છે, સત્ય તરફનો નીર્દેશ નહીં. પ્રજ્ઞાપુરુષોના ઉદ્ગારોમાં સત્ય પ્રતી આંગળી ચીંધવાનો પ્રયત્ન હોય છે, કેમ કે શબ્દો દ્વારા સત્ય કદી આપી શકાતું નથી. એના તરફ માત્ર ઈશારો કરી શકાય.
 ગુરુ કોણ? જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અને જે એના તરફ ઈશારો કરવાને શક્તીમાન હોય છે તે. સત્યનો સાક્ષાત્કાર કરનાર બધા જ એને વ્યક્ત કરવાને સમર્થ હોય છે એમ હોતું નથી. વળી શીક્ષકને ગુરુ માની લેનારાં સાવ ભોળાં લોકો પણ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. અને શીરા માટે શ્રાવક થનારાનો ક્યાં તોટો છે? આથી કેહવાતા ગુરુ પણ ઘણા છે.
અહીં આપણે સાચા ગુરુ વીષે વાત કરીશું. ગુરુને અષાઢી પુર્ણીમાના ચંદ્રની ઉપમા આપી છે. શીષ્ય સત્યનો પ્રકાશ- તમારે ભગવાન કહેવું હોય તો ભગવાનનો સીધો પ્રકાશ ઝીલી ન શકે, કેમ કે સત્ય એ સુર્ય સમાન છે. સુર્ય સામે આપણે સીધું જોઈ ન શકીએ. પ્રયત્ન કરશો તો પ્રકાશને બદલે અંધારું મળશે. પરંતુ જેમ ચંદ્ર સુર્યનો પ્રકાશ ઝીલી આપણને પાછો આપે છે તો તે શીતળ ચાંદનીનો પ્રકાશ આપણા માટે આનંદ દાયક છે. તેવી જ રીતે ગુરુના માધ્યમ વડે આપણે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ.
આ સમજવા જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેમના ઉદ્ગારો જોઈએ. જેમ કે મીરાંબાઈ-એમણે ગાયું છે
ઉંચા ઉંચા આભમાં ને ઉંચા ઉંચા ડુંગરાની
ઉંડીરે   ગુફામાં  મારો  દીવડો  બળે   રે ………
એ દીવડો કેવો છે?
લાખ લાખ ચંદા ચળકે કોટી કોટી ભાનુ રે
દીવડા  અગાડી  મારા  ઝાંખા  પડે   રે…………
ભાનુ એટલે સુર્ય અને કોટી કોટી એટલે કરોડો.
કરોડો સુર્યનો પ્રકાશ આપણે ઝીલી ન જ શકીએ. આથી સત્યનો ગુરુ દ્વારા આડકતરી રીતે જ પરીચય પામી શકાય.

પરંતુ અષાઢી પુર્ણીમાને જ કેમ ગુરુ પુર્ણીમા કહી?
 આપણા દેશમાં અષાઢ માસ ખાસ વરસાદનો મહીનો ગણાય. વરસાદ પડી ગયો હોય અને આ દીવસે જો આકાશ ખુલ્લું હોય તો ચંદ્રમાનો પ્રકાશ બહુ સ્પષ્ટ લાગે છે. કેમ કે વરસાદ પડી જવાને કારણે હવામાં ધુળની રજકણો બીલકુલ હોતી નથી. પરંતુ અષાઢ માસમાં આકાશમાં વરસાદ કે વાદળો ન હોય એવું બહુ ઓછું બને- ગુરુ મળવા બહુ દુર્લભ છે. એ તરફ આ ઈશારો છે. એમ છતાં જો ગુરુ મળે તો અષાઢી પુિર્ણમાના ચંદ્રમાની જેમ બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે.
 વળી ગુરુ એક સમયે શીષ્ય અત્યારે જે સ્થીતીમાં છે તે સ્થીતીમાં રહી ચૂક્યા છે. આથી ગુરુ શીષ્યની સ્થીતી બરાબર સમજે છે. અને ગુરુને અનંત પ્રકાશનો પણ અનુભવ થઈ ચૂક્યો છે. આથી જ એ શીષ્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો