વ્યક્તિ
વિશેષ ------- (કૌશિક કાનાણી)
ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઇ
દેસાઇ

ભિક્ષુ અખંડાનંદ

ન્હનાલાલ

સ્વામી આનંદ
સાધનાવંતા
સાધુ અને સાહિત્યકાર હિંમતલાલ દવેનો જન્મ સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે થયો
હતો. કિશોરવયે જ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા. દરમિયાન યોગીઓના પરિચયમાં આવ્યા.
હિંદી અને બંગાળી પણ છૂટથી તેઓ બોલી શકતા. ગાંધીજીના સિદ્ધાંતો એમણે જીવનમાં
ઉતાર્યા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી
સંભાળેલી. તેમની પ્રતિભા જબરદસ્ત હતી. વિસ્મયતા એ કહેવાય કે સ્વામીદાદાએ
શાળા-કોલેજમાં ગયા વગર સિદ્ધિ મેળવી હતી. ગાંધીજીના ‘નવજીવન’અને ‘યંગ ઈન્ડિયા’નું તંત્રસંચાલન તેમણે હાથમાં
અનન્ય છે. હિમાલયનો પ્રવાસ ખેડનાર કાકાસહેબની ત્રિપુટીમાં એક ‘સ્વામી આનંદ’ પણ હતા. ધરતીકંપ, રેલરાહત, સત્યાગ્રહ આંદોલન – આ બધામાં ‘સ્વામીદાદા’ આગળ પડતો ભાગ લેતા. બ્રહ્મચર્યના
ઓજસથી ઝગારા મારાતા ગૌર બદનમાંથી તેજ ઝરતી આંખોથી માંડીને હળવા હૈયાથી વહેતી એમની
વાણી સાંભળવી એ એક લહાવો હતો. પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની
ચિરવિદાય પછી જિંદગી વસમી લાગતી હતી. તેઓ કહેતા: “બિસ્તરા બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લેટફોર્મ પર
બેઠો છું, પણ મારી ગાડી જ આવતી નથી.” તા. ૨૫-૧-૧૯૭૬ના રોજ એ કમબખ્ત
ગાડી આવી અને મુંબઈમાં તેમનું દેહાવસાન થયું.
દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી
પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર
દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં થયો હતો.
ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિરધાર
કર્યો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ
નિરધાર કર્યો. મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ થયા કે તુરત જ કલાર્ક તરીકેની નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના
પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના
રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના
દરદીઓની સારવાર કરી તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ
પર રહ્યો નહીં. તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક
અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ડાની ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના
રાજ્યે મુખ્ય દીવાન તરીકે પંસદ કર્યાં. દરમિયાન રાજ્યમાં દુષ્કાળરૂપી આફતનાં
ઓળાં ઉતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને
બેઠી કરી. તેઓમાં વિધા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા
અને સંભાળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા. જેને સૌ કોઈ ઉદાહરણ તરીકે યાદ કરતા.
પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ના રોજ ચિરવિદાય
લીધી. તેમનું સૂત્ર હતું “દ્રઢ
નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.”
મોતીભાઈ અમીન
ગુજરાતમાં
પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને જ્ઞાન અને સંસ્કારનો
સ્પર્શ કરાવનાર મોતીભાઈ અમીનનો જન્મ ઈ. ૧૮૭૩માં થયો હતો. ગ્રેજ્યુએટ થઈ શિક્ષક
તરીકેની કારકિર્દિ પ્રારંભ કર્યો અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃત્તિ
વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો, ભાષણો, ઉદધાટનો અને પ્રમુખસ્થાનેથી દૂર
રહી મોતીભાઈએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઈપણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા
દ્રષ્ટાંતરૂપ છે. એમના ‘પુસ્તકાલય’ માસિકે ગુજરાતની પ્રજામાં
શિષ્ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું. બે જ વર્ષમાં વડોદરા રાજ્યમાં એમણે
૪૦૦ પુસ્તકાલયો શરૂ કર્યાં હતા. ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતાં પુસ્તકાલયો
સ્થાપીને મોતીભાઈએ જ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેડા સુધી પહોંચાડવામાં
ફાળો આપ્યો હતો. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે ‘ગ્રંથપાલ ઉધમ પિતામહ’નું બિરુદ આપી તેમને નવાજ્યા હતા.
સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી મોતીભાઈએ સામાજિક દૂષણો અને
જડ રૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો. એ
જમાનામાં રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના સહાય અર્થે તેમણે
‘પગરખાંની
પરબ’ શરૂ કરી હતી. ગાંધીજીએ મોતીભાઈને ‘ચરોતરનું મોતી’ કહી બિરદાવ્યા હતા. તા.
૧-૨-૧૯૩૯ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી, તપસ્વી શિક્ષક અને સાધુપુરુષ
ગુમાવ્યાનો અપાર ખુદ અનુભવ્યો.
લીલાબહેન પટેલ
મહિલાઓના
રાહબર લીલાબહેન પટેલનો જન્મ ૩-૨-૧૯૧૪ના રોજ વડોદરામાં થયો હતો. વિધાર્થીકાળથી જ
તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડીપ્લોમાં ઈન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી
શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. સ્ત્રી સામયિકમાં તેમજ સામાજિક સંસ્થા ‘સ્ત્રી નિકેતન’ માં દીર્ધકાલીન સેવાઓ આપી, ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી
સમિતિ, જેલ
સુધારણા સમિતિ, બાલ
ઉત્કર્ષ સમિતિ, રેડક્રોસ
સોસાયટી જેવી રાજ્યની અનેકવિધ સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો
લાભ આપ્યો છે. ‘સંદેશ’માંજીવનના અંતરંગ કોલમ દ્રારા સ્ત્રીઓના શોષણ અને
કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ
ઊભુ કર્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ
આવનાર વિધાર્થિનીને સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરતાં હતાં સંદેશના
મોભી સ્વ. ચીમનભાઈ પટેલને એક આદર્શ ધર્મપત્ની તરીકે ‘સંઘર્ષના સાથી’ તરીકેની જે ભૂમિકા લીલાબહેને
બજાવી તે તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરી પાડે છે. સામાજિક
મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ઈ.૨૦૦૪માં ‘સંદેશ’ પરિવારને અનાથ બનાવી
ચિરનિદ્રામાં પોઢી ગયા.
પ્રભાશંકર પટ્ટણી
વિચક્ષણ
રાજ અમલદાર, સાધુપુરુષ
પ્રભાશંકર પટ્ટણીનો જન્મ મોરબી ગામમાં થયો હતો. તેઓ વિધાર્થીકાળથી જ તેજસ્વી હતા.
તેમનો અભ્યાસ મેટ્રિક સુધીનો હતો. એક સામાન્ય શિક્ષક તરીકેની નોકરીથી કારકિર્દીનો
પ્રારંભ કરીને તેઓએ ભાવનગર રાજયના દીવાનપદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવ્યું
હતું. ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓ પોતાથી બનતું બધુ જ કરતા. જૂનાગઢ વગેરે દેશી રાજ્યો
ઉપરાંત સરકારી ઈલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઈતે દિશામાં પ્રયત્ન કરેલા. હિન્દુસ્તાનના
દેશી રાજયોના માનવંતા સલાહકાર ઉપરાંત બ્રિટિશ સલ્તનતનોવિશ્વાસ મેળવી
ઈન્ડિયા કાઉન્સિલમાં તેમણે સ્થાન ભોગવ્યું હતું. તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને
મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતા. ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન
ખૂબ જ સાદગીભર્યું હતું. તેણે કેવી નિષ્ઠાથી કામ કર્યું તેનો પુરાવો એ છે કે પોતે
જ્યારે દીવાન થયા ત્યારે તિજોરી જે સ્થિતિમાં હતી તેમાં અનેક ગણો ભરાવો થયો હતો.
નિ:સ્પૃહી પ્રભાશંકર પટ્ટણી જરૂરિયાતમંદ લોકોને છુટે હાથે સહાય કરતા એ કોઈથી
અજાણ્યું ન હતું. ૭૬ વર્ષની ઉંમરે તા. ૧૬-૨-૧૯૩૮ના રોજ તેમનું અવસાન થયું, ત્યાં સુધી તેઓ ભાવનગર રાજયને અને
રાજવીને સમર્પિત રહ્યા હતા.
કસ્તુરબા : “Bapu is no doubt great but Ba is greater still.”
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો